VIDEO: કેશોદના 15 વર્ષ જૂના ચર્ચિત હત્યા કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 6 આરોપીઓને આજીવન કેદ!
સોર્સ : gstv
જૂનાગઢના કેશોદ સ્થિત મંગલપુર ગામે વર્ષ 2009માં સરકારી જમીનના વિવાદમાં અનુસૂચિત જાતિના રાણાભાઈ રાઠોડને જીવતા સળગાવી દેવાયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ચર્ચિત હત્યા અને એટ્રોસિટી કેસમાં કેશોદ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કેસ દરમિયાન 2 આરોપીઓના મોત થયા હતા. 15 વર્ષે ન્યાય મળતા મૃતકના પરિવારે કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે.

