Video: કેશોદના અજાબ ગામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ મામલે બંધનું એલાન
સોર્સ : GSTV
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે વેપારીઓએ એક વેપારી પર ખોટી રીતે એટ્રોસિટી ફરિયાદ મામલે આજે અજાબ બંધનું એલાન આપ્યું છે. અજાબના ગ્રામજનો અને વેપારીઓ મોટી સંખ્યામાં વાહનો લઇ જિલ્લા પોલીસ વડા કચેરીએ પહોંચ્યા હતા અને એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાની રજૂઆત કરી હતી અને જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

