VIDEO: માળીયા હાટીનાના પિખોર ગામમાં કોઝવે તણાયો: સંપર્ક કપાઈ જતા ગ્રામજનો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં
સોર્સ : gstv
જૂનાગઢના માળીયાહાટીના તાલુકાના પિખોર ગામે ભારે વરસાદ બાદ ગામનો મુખ્ય કોઝવે તણાઈ જતા પિખોરથી માંગરોળ સુધીનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ કનેક્ટિવિટી તૂટવાથી ગામના 60થી વધુ ખેડૂતો સૌથી વધુ પ્રભાવિત થયા છે. પોતાના ખેતરો સુધી પહોંચવા માટે ખેડૂતો જીવના જોખમે પુલ નીચે પથ્થરો ગોઠવીને પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક ધોરણે તંત્રને રસ્તા અને કોઝવેના રિપેરિંગની માંગ કરી છે.

