VIDEO: ચોટીલા-રાજકોટ હાઈવે પર અકસ્માતની ઘટના, જૂનાગઢ જઈ રહેલા દંપતિનું મોત
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક હૃદયદ્રાવક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, અમદાવાદથી જૂનાગઢ જઈ રહેલા જબ્બારભાઇ અને તેમના પત્ની નસુબેનનું આ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

