VIDEO: PM મોદીએ જામનગરમાં અભિવાદન સમારોહમાં જનસભાનું કર્યું સંબોધન, સ્થાનિક ચૂંટણીના પરિણામ અંગે કરી વાત
સોર્સ : GSTV
પીએમ મોદી મોડી રાત્રે જામનગર પહોંચ્યાં અને લાલબંગલા પાસે લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ. મોડી રાત્રે પીએમ મોદીએ અભિવાદન સમારોહમાં સંબોધન કરતા સ્થાનિક ચૂંટણીના પરિણામ અંગે કહ્યું કે, ગુજરાતીઓએ તો વિધાનસભા ચૂંટણી કરતા પણ મોટો રેકોર્ડ બનાવી દીધો. સાથે સોમનાથના વિનાશના એક હજાર વર્ષની પીડાનો ઉલ્લેખ કરતા મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની 75મી વર્ષગાઠને મહત્વની ગણાવી. આ ક્ષણને પીએમ મોદીએ દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.

