જામનગર-રાજકોટ હાઈવે પર કાર અને ટુ વ્હીલર વચ્ચે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના જામનગર-રાજકોટ હાઇવે પર સર્જાઈ હતી. ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા. આ અકસ્માતમાં પતિ, પત્ની અને પુત્રીનું મોત થયું છે.
તમામ મૃતકો ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના
જાયવા ગામ નજીક આશાપુરા હોટલ પાસે એકટીવા અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. બોલેરોએ એકટીવા જોરદાર ટક્કર ટક્કર મારી હતી. તમામ મૃતકો ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: VIDEO: કતાર ગામમાં નજીવી બાબતે યુવાનને પીકઅપ વાનથી શખ્સે કચડ્યો, 150 મીટર સુધી ઢસડ્યો...
એક જ પરિવારના 3 લોકોનાં મૃત્યુ નિપજતા પરિવારમાં શોક
ઘટનાની જાણ થતાં દુર્ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી. અકસ્માતે ગુનો દાખલ કર્યો છે. એક જ પરિવારના 3 લોકોનાં મૃત્યુ નિપજતા પરિવારમાં શોક છવાયો છે.

