VIDEO : સોમનાથ નવનિર્માણના 75 વર્ષ: પીએમ મોદીએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું, કરી ખાસ મહાપૂજા
સોર્સ : gstv
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના શરણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીશ ઝુકાવ્યું હતું. સોમનાથ મંદિરના નવનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃત મહોત્સવ'માં સહભાગી થવા વડાપ્રધાન આજે વિશેષ મુલાકાતે પહોંચ્યા હતા.મંદિર પરિસરમાં આગમન બાદ વડાપ્રધાને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાદેવનો જળાભિષેક કર્યો હતો અને સોમેશ્વર મહાપૂજામાં ભાગ લીધો હતો.

