VIDEO: ઉનાના માણેકપુરમાં ઘેટાં-બકરાંની જેમ વાહનોમાં ભરાતા માસૂમો: એસ.ટી. બસ ન આવતા રોષ
સોર્સ : gstv
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માણેકપુર ગામેથી સીમર તરફ અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ રોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, આ રૂટ પર એસ.ટી. બસ સમયસર ન આવતી હોવાના કારણે માસૂમ બાળકોને ખાનગી વાહનોમાં ઘેટાં-બકરાંની જેમ ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં ખીચોખીચ ભરવામાં આવે છે. વાહનોની બહાર લટકતા અને જોખમી રીતે મુસાફરી કરતા આ ભવિષ્યના ઘડવૈયાઓ સાથે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે, તો તેનો જવાબદાર કોણ રહેશે તેવા તીખા સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. ભણતર મેળવવા માટે રોજ મોતના મુખમાં મુસાફરી કરતા આ બાળકોની સુરક્ષાને ધ્યાને લઈને વહીવટી તંત્ર અને ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક ધોરણે નિયમિત બસની સુવિધા શરૂ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

