VIDEO: સપ્ટેમ્બરના આ ત્રણ દિવસ મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર, આ પ્રશ્નો મુદ્દે થશે ચર્ચા
સોર્સ : gstv
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાના નવમા સત્રનું આહ્વાન કર્યું છે. જેને પગલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ 8થી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે. જેમાં સરકારી કામકાજ, સરકારી વિધેયક સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિમાં નિશ્ચિત થયેલા કામો કરાશે. આ ઉપરાંત, ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો વિધાનસભામાં તેમજ ઓનલાઇન રીતે પણ સરકાર સમક્ષ રજૂ કરી શકશે, જેની પ્રશ્નોતરીકાળ દરમિયાન ચર્ચા કરાશે.

