Gujarat news: રાજ્ય સરકારે એન્ટિબાયોટિક્સ દવાઓ મામલે જાહેર કરી નવી માર્ગદર્શિકા

સોર્સ : GSTV
ગુજરાતમાં એન્ટિબાયોટિક્સ દવાઓના આડેધડ વપરાશને રોકવા માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકાનું કડક પાલન કરાવનારી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ રાજ્યની પ્રથમ હોસ્પિટલ બની છે.
દર્દીને એન્ટિબાયોટિક આપતા પહેલા ઝીણવટભરી તપાસ કરાશે
દર્દીને એન્ટિબાયોટિક આપતા પહેલા તેની જરૂરિયાતની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.સિવિલ હોસ્પિટલ દ્વારા દવાઓને ત્રણ અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે.
દર્દીનું 'બ્લડ કન્સન્ટ' લેવાની પ્રક્રિયા
ખાસ કરીને 14 જેટલી રિસ્ટ્રિક્ટેડ દવાઓ શરૂ કરતા પહેલા દર્દીનું 'બ્લડ કન્સન્ટ' લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સના વધતા ખતરાને જોતા, હવે બેક્ટેરિયાનું કલ્ચર કરી, જીવાણુની ઓળખ કર્યા બાદ જ ચોક્કસ દવા આપવામાં આવશે.

