VIDEO: માનવ હુમલા વધતા ગાંધીનગરમાં વન વિભાગની તાકીદની મહાબેઠક, ઘડાશે ઈમરજન્સી પ્લાન
સોર્સ : gstv
ગીર પંથકમાં સિંહોના વધતા હુમલાઓ અને બદલાતા વર્તનને લઈને આજે ગાંધીનગરમાં વન વિભાગની તાકીદની બેઠક યોજાશે. રાજ્ય કક્ષાના અધિકારીઓ અને કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં સૌરાષ્ટ્રના લાયન લેન્ડસ્કેપ વિસ્તારના DCF અને CCF કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. બેઠકમાં સિંહોના બદલાતા મિજાજ, માનવ-વન્યજીવ સંઘર્ષ, રેડિયો કોલર પ્રોજેક્ટ તેમજ ગેરકાયદે હોટેલ-રિસોર્ટના મુદ્દે ચર્ચા થશે. સ્થાનિકો અને પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ ઈમરજન્સી પ્લાન ઘડવાની દિશામાં પણ વિચારણા કરવામાં આવશે. બેઠકના નિર્ણયો પર સમગ્ર રાજ્યની નજર મંડાયેલી છે.

