દાહોદમાં જમીનના નકલી NA કેસ મામલે પોલીસે કરી 4ની ધરપકડ

ગુજરાતભરમાંથી જ્યારે એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે એવામાં દાહોદમાંથી જમીનને મામલે એક કાંડ પ્રકાશમાં આવ્યો છે. દાહોદમાં જમીનના નકલી NA કેસને મામલે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા મુખ્ય સૂત્રધાર શૈશવ પરીખ સહિત ચાર લોકોની ફરીથી અટકાયત કરવામાં આવી છે. તેમજ સીટીસર્વે કચેરીના શિરસ્તેદાર અને સર્વેયરની પણ ધરપકડ કરવામાં આવી છે.
નકલી NA હુકમમાં સજા ભોગવી રહેલા આરોપીઓની બીજા ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તાલુકા પંચાયત દ્વારા નોંધાયેલ ફરિયાદમાં આરોપીઓની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે 70 લોકો વિરૂધ્ધ ખોટા હુકમો બનાવવાની ફરિયાદ નોધાઇ હતી. પોલીસ દ્વારા આ ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

