VIDEO: દાહોદના લીમખેડામાં જન્માષ્ટમી પર્વે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, હજારો ભક્તો જોડાયા
સોર્સ : gstv
દાહોદના લીમખેડામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભરવાડ સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું..... ઐતિહાસિક ઠાકોર મંદિરમાંથી પ્રસ્થાન પામેલી આ શોભાયાત્રામાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનોએ આકર્ષક લોકનૃત્યો અને લાકડીના કરતબો રજૂ કર્યા હતા, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નગરના વિવિધ માર્ગો પર ફરીને શોભાયાત્રા પરત ફરી ત્યારે મટકી ફોડના કાર્યક્રમોમાં ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં કૃષ્ણભક્તો આ યાત્રામાં જોડાયા હતા અને ઠાકોર મંદિર ખાતે મહાઆરતી બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

