VIDEO: PM મોદીની અપીલ બાદ ફતેપુરાના ધારાસભ્યએ લીધો પાયલોટિંગ કાફલો હટાવવાનો નિર્ણય
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને લઈને દાહોદના ફતેપુરાના ધારાસભ્ય અને કૃષિ વિભાગના રાજ્ય મંત્રી રમેશ કટારાએ પાયલોટિંગ કાફલો હટાવી દીધો છે. ઈંધણની બચત કરવા માટે રમેશ કટારાએ જિલ્લામાં કે જિલ્લાની બહાર ક્યાંય પણ મુસાફરી દરમિયાન પાયલોટિંગ લેવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. રમેશ કટારા ઉપરાંત અન્ય મંત્રીઓ અને સી.આર. પાટીલે પણ પીએમની અપીલ બાદ ઈંધણ બચાવવા પાટલોટિંગ કાફલો હટાવવાનો નિર્ણય લીધો છે.

