VIDEO: દાહોદ / અમદાવાદ-ઇન્દોર હાઈવે પર ખાનગી બસ પલ્ટી, 13 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
દાહોદ જિલ્લામાં અમદાવાદ-ઇન્દોર હાઈવે પર પ્રતાપપુરા પાસે તુલસી હોટલ નજીક ખાનગી બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. ઉજ્જૈનથી સુરત તરફ જઈ રહેલી બસ અચાનક નિયંત્રણ ગુમાવતા રોડ પર પલ્ટી મારી હતી. અકસ્માતમાં 13થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઘાયલો રોજગારી માટે ઉજ્જૈનથી ભરૂચ જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બચાવ ટીમોએ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે...

