VIDEO: છોટાઉદેપુરના ક્વાંટમાં નડતરરૂપ વીજપોલ હટાવ્યા વગર જ રોડની કામગીરી શરૂ, લોકોમાં રોષની લાગણી
સોર્સ : gstv
છોટાઉદેપુરના ક્વાંટમાં 4 કરોડના ખર્ચે બની રહેલા એક કિલોમીટર લાંબા માર્ગની કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગે રસ્તો પહોળો કરી મેટલિંગ કામ તો કરી દીધું, પરંતુ માર્ગ વચ્ચે નડતરરૂપ વીજપોલ હટાવવાની તસ્દી લીધી નથી.
વીજ કંપની અને આર એન્ડ બી વિભાગ વચ્ચેના સંકલનના અભાવે એસ્ટિમેટ અટવાયેલું છે, જેના કારણે કામ અધવચ્ચે લટકી પડ્યું છે. ચોમાસું નજીક હોવા છતાં રસ્તો ખોદી નાખવામાં આવતા 100થી વધુ ગામના લોકો અને સ્થાનિક વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અધિકારીઓની વહીવટી કુશળતાના અભાવે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સત્વરે વીજપોલ હટાવી કામ પૂર્ણ કરવા માંગ ઉઠી છે.

