VIDEO: છોટાઉદેપુર પાલિકાની બેદરકારી: 5 શૌચાલયોને તાળાં, 28 લાખના ટેન્ડરથી વિવાદ
સોર્સ : gstv
છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા 7માંથી 5 સામૂહિક શૌચાલયો છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોવાથી પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. જર્જરિત શૌચાલયો પર માત્ર રંગરોગાન કરીને લાખોનો ખર્ચ કર્યા બાદ, હવે પાલિકા તંત્ર રૂ.28 લાખના ખર્ચે રીનોવેશનનું ટેન્ડર બહાર પાડવાની તૈયારી કરી રહ્યું છે. પ્રજાના ટેક્સના નાણાંનો આડેધડ વ્યય થતો હોવાના અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

