VIDEO: પીએમ મોદીના જન્મદિવસે છોટાઉદેપુરના કુસુમ સાગર તળાવ ખાતે ‘આશીર્વાદના દીવા’ યોજાયો
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં એક અદ્ભુત અને ભવ્ય ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરના historic અને પ્રખ્યાત કુસુમ સાગર તળાવ ખાતે એકસાથે 76 હજાર દીવા પ્રગટાવીને વડાપ્રધાન મોદીને જન્મદિવસની ભાવભરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાંજના સમયે હજારો દીપકોની રોશનીથી સમગ્ર તળાવ અને તેનો પરિસર ઝગમગી ઉઠ્યો હતો, જે દ્રશ્ય અત્યંત અલૌકિક લાગતું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, નગરના અગ્રણીઓ અને ઉત્સાહી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ વડાપ્રધાન મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સફળ નેતૃત્વ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.

