VIDEO: છોટાઉદેપુર / પ્રજાપતિ સમાજમાં ભારે રોષ, રોજગાર ઉપર સંકટ હોવાનો આક્ષેપ
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલ તળાવ હવે વિવાદનું કેન્દ્ર બન્યું છે. સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડું કરવાની કામગીરી દરમિયાન મોટી માત્રામાં માટી ખોદકામ થતા પ્રજાપતિ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. વર્ષોથી આ માટીથી માટલા અને વાસણ બનાવી ગુજરાન ચલાવતા લોકો હવે પોતાના રોજગાર ઉપર સંકટ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. રોજી રોટી છીનવાઈ હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે મામલો હવે વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે.

