VIDEO: નસવાડીના ડુંગર વિસ્તારના 12 હજાર હેક્ટર ખેડૂતો આજે પણ સિંચાઈથી વંચિત
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ખેડૂતો આજે પણ સિંચાઈની સુવિધાથી વંચિત છે. અંદાજે 12 હજાર હેક્ટરથી વધુ જમીન વરસાદ આધારિત હોવાથી ખેડૂતો માત્ર ચોમાસાના ભરોસે મકાઈ, તુવેર, અડદ અને નાગલી જેવા પાકનું વાવેતર કરે છે. વરસાદ ઓછો પડે તો પાક નિષ્ફળ જવાની ભીતિ રહે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ચોમાસા બાદ રોજગારીના અભાવે અનેક પરિવારો સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં મજૂરી માટે સ્થળાંતર કરવા મજબૂર બને છે.

