Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Changes in PM Modi's Gujarat visit

PM મોદીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર; સુરતમાં એરપોર્ટ બહાર વસતા બિહારીઓનું સાંજે અભિવાદન ઝીલશે

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 નવેમ્બરે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ તેઓ આજે રાજ્યના આદિવાસી પટ્ટાનો પ્રવાસ કરી રહ્યા છે.

App Store

સુરત એરપોર્ટ પર સ્વાગત અને બુલેટ ટ્રેનની સમીક્ષા 

આજે સવારે વડાપ્રધાન મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન થયું હતું, જ્યાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બિહારમાં NDAની જીત બાદ વડાપ્રધાનની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે. સુરતમાં તેઓ બાય રોડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામકાજની સમીક્ષા કરશે. આ ઉપરાંત, સુરત ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની પણ તેઓ મુલાકાત લેશે.

નર્મદામાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સુરત ખાતેના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નર્મદા જિલ્લા જવા રવાના થશે. અહીં તેઓ 'આદિવાસી ગૌરવ દિવસ' અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થવાના છે. તેઓ પ્રથમ આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર દેવ મોગરા મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ દેડિયાપાડા ખાતે એક જંગી સભાને સંબોધિત કરશે.

રૂ.7900 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ 

દેડિયાપાડા ખાતે આયોજિત આ સભામાં વડાપ્રધાન મોદી રૂ.7900 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ લગભગ ચાર વાગ્યા બાદ વડાપ્રધાન સભા સ્થળેથી હેલિપેડ જવા રવાના થશે. ત્યાંથી તેઓ સુરત એરપોર્ટ પહોંચશે અને સાંજે 5:00 વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. આમ વડાપ્રધાનનો આ એક દિવસીય પ્રવાસ મુખ્યત્વે આદિવાસી વિસ્તાર પર કેન્દ્રિત રહેશે.

વડાપ્રધાન સવારે 7.45 દિલ્હીથી રવાના
સવારે 9.20 એ સુરત એરપોર્ટ પર આગમન
સુરત એરપોર્ટથી 9.20 એ સુરત હેલિપેડ ખાતે રવાના
સવારે 9.45 એ સુરત હેલિપેડ ખાતે આગમન
સવારે 9.50 એ સુરત હેલિપેડથી બાય રોડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખાતે રવાના
સવારે 9.55 એ બુલેટ ટ્રેન સ્ટેશન પર આગમન
10 થી 11.15 સુધી બુલેટ ટ્રેન સ્ટેશનની વિઝીટ
11.20 એ બુલેટ ટ્રેન સ્ટેશનથી બાય રોડ હેલિપેડ રવાના
11.25 સુરત હેલિપેડ
11.30 સુરત હેલિપેડથી દેવ મોગરા હેલિપેડ જવા રવાના
12.15 એ દેવ મોગરા હેલિપેડ આગમન
12.20 દેવ મોગરા હેલિપેડ થી બાય રોડ દેવમોગરા મંદિર રવાના
12.40 એ દેવ મોગરા મંદિર આગમન
12.45 થી 1 વાગ્યા સુધી દેવમોગરા મંદિરમાં પૂજા અર્ચના કરશે
1.05  વાગે દેવમોગરા મંદિરથી હેલિપેડ જવા રવાના
1.15  દેવમોગરા હેલિપેડથી દેડિયાપાડા જવા રવાના
1.35 એ દેડિયાપાડા હેલિપેડ ખાતે આગમન 
1.40 એ દેડિયાપાડા હેલિપેડથી બાય રોડ સભા સ્થળ જવા રવાના
2.10 વાગે સભા સ્થળ પર આગમન
2.15 થી 4 વાગ્યા સુધી સભા સ્થળ પર 150મી બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી
4.05 વાગ્યાથી સભા સ્થળથી હેલિપેડ જવા રવાના
4.10 વાગે દેડિયાપાડા હેલિપેડ આગમન
4.15 વાગે દેડિયાપાડા હેલિપેડથી સુરત એરપોર્ટ જવા રવાના
5.00 વાગે સુરત એરપોર્ટ આગમન
5.05 થી સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના
6.40 એ દિલ્હી એરપોર્ટ આગમન


વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર

વડાપ્રધાન મોદીના  ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરાયો છે. દિલ્હી જતા પહેલા સુરતમાં બિહારના વતનીઓને મળશે. ​​​​​​સુરત એરપોર્ટ ખાતે સુરતમાં વસતા બિહારના લોકોનું અભિવાદન ઝીલશે. સાંજે 4 વાગ્યે સુરત એરપોર્ટ બહાર વડાપ્રધાન મોદીનું બિહારના લોકો સ્વાગત કરશે.