VIDEO:સિંહના હુમલાની આશંકાએ ફેલાયો ભારે ફફડાટ.
સોર્સ : GSTV
ભાવનગરના મહુવાના ખરેડ-ગઢડા સીમ વિસ્તારમાં એક યુવકના શંકાસ્પદ મોતનો મામલો સામ આવ્યો છે... પિંગલેશ્વર મહાદેવ નજીકથી લાપતા થયેલા નાગજીભાઈની શોધખોળ દરમિયાન કપડાં અને માનવ ખોપડી મળી આવતા ભારે ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં સિંહના હુમલાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્ય તપાસ બાદ જ બહાર આવશે. આ ગંભીર ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગ અને મહુવા ગ્રામ્ય પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે. વન વિભાગ દ્વારા ઘટનાસ્થળે સબ-સ્ટાન્ડર્ડ વ્યવસ્થાઓ અને સુરક્ષાના પગલાંની સમીક્ષા કરવામાં આવી રહી છે, તેમજ શંકાસ્પદ સ્થળોએ સીલિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે. મૃતદેહના અવશેષોના ફોરેન્સિક પરીક્ષણ બાદ જ મોતનું કારણનો ખુલાસો થઈ શકશે..

