VIDEO: ભાવનગરમાં આપ પાર્ટીના પોસ્ટરો રાતે મહાનગરપાલિકાએ હટાવતા વિવાદ સર્જાયો
સોર્સ : GSTV
ભાવનગર શહેરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન ભાવનગર આવી રહ્યા છે, તે અંગે શહેરમાં વિવધ સ્થળોએ આપ પાર્ટીના પોસ્ટરો લાગ્યા હતા.
આપ પાર્ટીના પોસ્ટરો અને બેનરો મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા
એરપોર્ટ થી કાર્યક્રમ સ્થળ સુધી લાગેલા આમ આદમી પાર્ટીના પોસ્ટરો અને બેનરો મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા, જોકે આ કામગીરીની ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પસાર થતા તેને આ બાબતને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર મામલે આપ પાર્ટીના નેતાઓએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા
સમગ્ર મામલે આપ પાર્ટીના નેતાઓએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું તમે લોકો ભાજપની દલાલી કરો છો, તો શા માટે પોસ્ટર ઉતારો છો.

