VIDEO: લઠ્ઠાકાંડમાં સરકારની કડક કાર્યવાહીનો દાવો
સોર્સ : gstv
ભાવનગર લઠ્ઠાકાંડ મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે મૃતકકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને જણાવ્યું કે પોલીસની ત્વરિત કામગીરીથી વધુ જાનહાનિ અટકી છે, જ્યારે 16 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. ઘટનાની ગંભીરતા જોતા સરકારે ઘટના બને તે જ દિવસે SMCને તપાસ સોંપી હતી અને બેદરકારી દાખવનારા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. મંત્રીએ કહ્યું કે દોષિત કોઈપણ હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સરકાર કોઈપણ જાતની બાંધછોડ નહીં કરે.

