VIDEO: હાંસોટના સાહોલ ગામથી આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ માટે ભવ્ય કાવડ યાત્રા રવાના
સોર્સ : gstv
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામેથી આંધ્રપ્રદેશના શ્રીશૈલમ ખાતે આવેલ દિવ્ય મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શનાર્થે ભવ્ય કાવડ યાત્રાનું પ્રસ્થાન થયું છે. ડીજેના તાલ, ઢોલ-નગારા અને 'હર હર મહાદેવ'ના નાદ સાથે ગામના ૧૪ શિવભક્ત યુવાનો પવિત્ર જળ ભરીને આ કાવડ યાત્રામાં જોડાયા છે. ગામના મહાદેવ મંદિરેથી કાવડમાં જળ ભરીને નીકળેલા આ શિવભક્તો આગામી ૧૦ સપ્ટેમ્બરે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ખાતે પહોંચશે, જ્યાં ભગવાન ભોળાનાથ પર જળાભિષેક કરી દિવ્ય દર્શનનો લાભ મેળવશે.

