Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : lives of devotees circumambulating the Narmada River were put at risk at hansot

VIDEO: નર્મદા નદીની પરિક્રમા કરનારા ભક્તોના જીવને જોખમ, બોટમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડાયા

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરૂચના હાંસોટમાં નર્મદા પરિક્રમાવાસીઓના જીવ જોખમમાં મુકાયા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વમલેશ્વરથી મીઠી તલાઈ જવા માટે બોટ સંચાલકો ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડી સલામતીના નિયમોના લીરેલીરા ઉડાવી રહ્યા છે. નદી અને સમુદ્રના સંગમ સ્થાને જોખમી મુસાફરી કરાવવા બદલ પરિક્રમાવાસીઓ પાસેથી 250 થી 500 રૂપિયા સુધીની ઉઘાડી લૂંટ પણ ચલાવવામાં આવી રહી છે. કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા સ્થાનિક તંત્ર આ ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.

App Store

ઉલ્લેખનીય છે કે જ્યાંથી બોટ દ્વારા યાત્રાળુઓને પાર ઉતારવામાં આવે છે તે વિસ્તાર નદી અને સમુદ્રના સંગમ નજીકનો છે. આવા સંજોગોમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે અંગે પણ ચર્ચા ઉઠી રહી છે. આ ઘટના સામે આવતા સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને નિયમોની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.