VIDEO: ખેતરોમાં ભરાયેલા પાણીથી પાક પર સંકટ, ખેડૂતો ચિંતામાં
સોર્સ : gstv
ભરૂચ તાલુકાના દહેગામ, કેરવાડા, હિંગ્લોટ, મનુબર અને કરમાડ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બુલેટ ટ્રેન, દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે અને ફ્રેઇટ કોરિડોરના કામના કારણે કુદરતી પાણીના નિકાલના માર્ગો અવરોધાયા છે. પાણી ભરાવાથી કપાસ, તુવેર અને મગ સહિતના ઉભા પાકને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરી રાહત આપવા માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે પાણી નહીં ઉતરે તો પાક બરબાદ થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

