VIDEO: અંબાજીમાં લાખોમાં ભક્તોનો ધસારો, માતાજીના આશીર્વાદ મેળવી બધા ધન્ય થયા
સોર્સ : GSTV
ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. બનાસકાંઠાના અંબાજી ખાતે નવરાત્રીના પર્વને લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.પ્રથમ આરતી બાદ બીજી મંગળા આરતીમા ભક્તો જોડાયા હતા. આસો સુદ બીજથી આસો સુદ આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી થાય છે.
એક આરતી ગર્ભગૃહની અંદર થાય છે જ્યારે બીજી આરતી ઘટ સ્થાપના પાસે
એક આરતી ગર્ભગૃહની અંદર થાય છે જ્યારે બીજી આરતી ઘટ સ્થાપના પાસે થાય છે. મળતા અહેવાલ પ્રમાણે અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં હાજર હતા. ત્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે દાંતા ધારાસભ્ય કાંતી ખરાડી અંબાજી મંદિરે આવ્યા હતા.નવરાત્રી દરમિયાન અનેકો મંત્રી, નેતાઓ માતાજીના દર્શનાર્થે આવી માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે.

