VIDEO: ભાદરવી પૂર્ણિમા નિમિત્તે મોડાસાના મરડિયા-ચારણવાડા ખાતે પદયાત્રીઓ માટે નિશુલ્ક વિસામો શરૂ થયો
સોર્સ : gstv
આગામી 20 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં ગુજરાત અને પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રીઓની સુવિધા અને સેવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મરડિયા-ચારણવાડા ખાતે મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજથી શરૂ થયેલા આ વિસામામાં અંબાજી જતા તમામ પદયાત્રીઓ માટે નિશુલ્ક ચા-પાણી, ભોજન, મેડિકલ સહાય અને આરામ કરવાની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને રસ્તામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

