VIDEO: આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આપ્યો પેટ્રોલ બચાવવાનો સંદેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલની અસર
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવો અપીલની અસર હવે રાજ્યમાં જોવા મળી રહી છે. આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પેટ્રોલ બચાવવાનો સંદેશ આપ્યો છે. તેમણે અધિકારીઓ સાથેની રૂબરૂ મિટિંગ ટાળવાનો નિર્ણય લીધો છે અને હવે તમામ બેઠકો ઓનલાઇન માધ્યમથી યોજવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સમયની સાથે સાથે ઇંધણની પણ બચત થશે તેમ માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનની ઇંધણ બચાવો ઝુંબેશને આણંદ જિલ્લામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કલેક્ટરની આ પહેલને લઈને વહીવટી તંત્રમાં પણ ચર્ચા શરૂ થઈ છે.

