આણંદના રાજપથ માર્ગ પર આવેલા અર્બન નુકકડ સ્થિત 'મહાલક્ષ્મી ભાજીપાવ'માંથી ગ્રાહકે ઓનલાઈન મંગાવેલી પાંવભાજીમાં જીવાત નીકળતાં ભારે બબાલ મચી છે. આઉટલેટ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતાં ગ્રાહકે આણંદ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે.