Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : In Rajodpura, every year the problem of waterlogging has angered the locals

VIDEO: રાજોડપુરામાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદના રાજોડપુરા તલાવડી વિસ્તારમાં વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ રસ્તાઓ પરથી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ભરાયેલા માર્ગોના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં કરમસદ–આણંદ મહાનગરપાલિકા દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લાંબા સમય સુધી ભરાયેલા પાણીથી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. હવે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે વહેલી તકે ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

App Store