VIDEO: અમરેલીના જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર વરસાદી વાતાવરણ અને સક્રિય ચોમાસાને કારણે ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે પવન અને વરસાદની આગાહીના પગલે દરિયો તોફાની બનવાની પૂરી શક્યતા છે. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સુરક્ષાના ભાગરૂપે તમામ માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની કડક સલાહ આપવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય.

