VIDEO: સિંહ-માનવ વચ્ચે ઘર્ષણની સ્થિતિ અંગે વિદ્યાર્થીઓનું રિસર્ચ
સોર્સ : gstv
અમરેલી જીલ્લામાં છેલ્લા 2 માસમાં થયેલા સિંહોના માનવ પર થયેલા હુમલાથી 5 માનવમોત બાદ નવી ચિંતા ઉભી થઈ છે. લીલીયા તાલુકાના વાઘણીયા અને ક્રાકચ ગામે રાજકોટ સાયકલોજી વિભાગના 50 જેટલી વિદ્યાર્થીનીઓ સિંહો કેમ માનવ હુમલાખોર બન્યા તે અંગેની જાણકારીઓ મેળવવા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ ગ્રામજનો સાથે વાત કરી અને સિંહોને રહેણીકહેણી સહિતની બાબતો જાણી હતી. વિદ્યાર્થીઓ તમામ માહિતી એકત્ર કરીએ અહેવાલ તૈયાર કરશે. એવા ગામડા કે જ્યાં સતત સિંહોની અવરજવર રહે છે ત્યાં સિંહોના બદલાયેલા વર્તન અંગે પણ વિદ્યાર્થીઓ ઉંડાણપૂર્વ અભ્યાસ કરી રહ્યાં છે..

