Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Lathi Highway, farmer returning home from farm dies tragically on the spot

Amreli/ લાઠી હાઈવે પર અકસ્માત, ખેતરથી ઘરે પરત ફરી રહેલા ખેડૂતનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Amreli/ લાઠી હાઈવે પર અકસ્માત, ખેતરથી ઘરે પરત ફરી રહેલા ખેડૂતનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના લાઠી-અમરેલી હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક 40 વર્ષીય ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે ટોડા ગામ અને ખેડૂત પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

App Store

ખેતરથી પરત ફરતા સમયે નડ્યો અકસ્માત

મળતી વિગતો મુજબ, ટોડા ગામના રહેવાસી કનુભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડીયા (ઉં.વ. 40) પોતાના ખેતરેથી કામ પતાવીને મોટરસાયકલ પર સવાર થઈ ગામ તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન લાઠી-અમરેલી હાઈવે પર તેમની મોટરસાયકલ અને એક ફોરવીલ ગાડી વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કનુભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પોલીસ કાર્યવાહી અને હોસ્પિટલ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લાઠી પોલીસને જાણ કરી હતી. લાઠી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પીએમ (Post-Mortem) અર્થે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને ફોરવીલ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

40 વર્ષીય આશાસ્પદ ખેડૂત કનુભાઈના અકાળે અવસાનથી ટોડા ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.