Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Bodies taken to crematorium in tractors after accident near Lathi

VIDEO: લાઠી નજીક અકસ્માત બાદ મૃતદેહોને ટ્રેક્ટરમાં સ્મશાન સુધી પહોંચાડાયા, શબવાહિની ફાળવવા સ્થાનિકોની માગ

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીના લાઠી નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ એક અત્યંત કરુણ અને શરમજનક સ્થિતિ સામે આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ વ્યક્તિઓના મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા માટે શબવાહિની ન મળતા, અંતે તેમને ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

App Store

લાઠીમાં અનેક ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓ હોવા છતાં અત્યાર સુધી અહીં એક પણ શબવાહિનીની સુવિધા ઉપલબ્ધ નથી. રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, લોકસભા સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જનક તળાવીયાના મતવિસ્તારમાં આવી સુવિધાનો અભાવ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. હવે સ્થાનિકો દ્વારા વહેલી તકે લાઠીને શબવાહિની ફાળવવાની માંગ ઉઠી છે.