VIDEO: રથયાત્રામાં મગનો પ્રસાદ કેમ અપાય છે? જાણો ખાસ કારણ
સોર્સ : gstv
રથયાત્રાનું નામ સાંભળતા જ મગના પ્રસાદની યાદ તાજી થઈ જાય છે. રથયાત્રા નજીક આવતા જ ભક્તો પોતાની શક્તિ મુજબ મગનું દાન કરી રહ્યા છે. ધાર્મિક માન્યતા મુજબ, મામાના ઘરે જામફળ-કેરી ખાવાથી ભગવાન બીમાર પડે છે, અને બીમાર વ્યક્તિ માટે મગ ઉત્તમ અને પૌષ્ટિક માનવામાં આવે છે, તેથી નગરચર્યાએ નીકળતા ભગવાનને મગનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.સાથે જ એક લોકવાયકા છે કે 'મગ ચલાવે પગ', જે મુજબ રથયાત્રામાં ચાલીને દર્શન કરતા ભક્તોને શક્તિ મળે તે માટે આ પ્રસાદ વહેંચવામાં આવે છે. મંદિરમાં આવેલા આ દાનના મગને મોટાપાયે પ્રસાદ તરીકે તૈયાર કરી ભક્તોમાં વિતરિત કરવામાં આવે છે.

