VIDEO: NSUI દ્વારા કરાયેલા આક્ષેપો અંગે વાઇસ ચાન્સલર નીરજા ગુપ્તાએ આપી સ્પષ્ટતા
સોર્સ : GSTV
NSUI દ્વારા કરાયેલા આક્ષેપો અંગે વાઇસ ચાન્સલર નીરજા ગુપ્તાએ સ્પષ્ટતા આપી છે કે હાલમાં એક ડેલિગેશન દિલ્હીમાં યોજાયેલા રશિયન એજ્યુકેશન ફેરમાં હાજરી માટે ગયું છે. તેમણે જણાવ્યું કે આ ડેલિગેશનમાં માત્ર EC મેમ્બર જ નહીં પરંતુ GCCI, શિક્ષણ વિભાગ અને અન્ય સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા કુલ 7થી 8 લોકો સામેલ છે. તેમાં ચારથી પાંચ વ્યક્તિઓ એવી પણ છે જે EC મેમ્બર નથી, તેથી આ સમગ્ર પ્રવાસને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે.

