VIDEO:અમદાવાદના કાલુપુરમાં માર્ગ પહોળો કરવાની કામગીરીમાં હાથ ધરવામાં આવશે
સોર્સ : gstv
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટ્રાફિકની લાંબા સમયથી ચાલતી સમસ્યાના નિરાકરણ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનના આધુનિકીકરણ સાથે જ વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની ભાડા પટ્ટે અપાયેલી અંદાજે 68 દુકાનો રથયાત્રા પછી તોડી પાડવામાં આવશે. હાલ 9 મીટર પહોળા રોડને 12 મીટર સુધી વિસ્તારવામાં આવશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.આ કામગીરી શરૂ થતાં કાલુપુર વિસ્તારના લોકોને ટ્રાફિકની મોટી રાહત મળવાની અપેક્ષા છે.

