VIDEO: અમદાવાદના કૃષ્ણનગરમાં અદાવતમાં તોડફોડ કરવાના કેસમાં 3 આરોપી પૈકી એક આરોપીની ઓળખ થઈ
સોર્સ : GSTV
VIDEO: અમદાવાદ શહેરમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસ મુદ્દે પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. જેમાં આજથી 15થી 20 દિવસ અગાઉ આરોપીઓ જમવા આવ્યા બાદ ઓનલાઈન 420 રૂપિયા ચુકવવા જણાવતા પેમેન્ટ ન કરતા ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
જે બાદ અદાવાત રાખી ત્રણ લોકોને સાથે રાખી રાત્રિના સમયે અસાજિક તત્વો આવી તોડફોડ કરી હતી. તેમજ ગ્રાહકોને ડરાવ્યા હતા. આ લોકો ડંડા, પાઈપો અને છરી લઈને મારવા આવ્યા હતા. મારવા આવેલા ત્રણ પૈકી એક આરોપીની ઓળખ થઈ ચુકી છે. રાકેશ વણઝારા નામના કુખ્યાત આરોપીની પોલીસને ઓળખ થઈ ગઈ છે. આ રાકેશ વણઝારા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલ પોલીસ આરોપીઓની શોધખોળ હાથ ધરી રહી છે.

