VIDEO : જમાલપુર જગન્નાથ મંદિરે ભવ્ય જળયાત્રા
સોર્સ : gstv
અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, ગંગા પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લાવવામાં આવેલા પવિત્ર જળથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવશે.જળાભિષેક બાદ ભગવાન જગન્નાથને વર્ષમાં એક જ વાર જોવા મળતો વિશેષ 'ગજવેશ' ધારણ કરાવવામાં આવશે. આ અલૌકિક દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જળયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન ૧૫ દિવસ માટે સરસપુર ખાતેના મોસાળમાં જશે, જ્યાં તેમનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવશે.

