VIDEO: બિહારમાં ભરત તિવારી એન્કાઉન્ટર મામલે ન્યાયિક તપાસની માંગ
સોર્સ : GSTV
બિહારમાં સામાજિક કાર્યકર ભરત તિવારીના કથિત એન્કાઉન્ટર મામલે હવે ગુજરાતમાં પણ ન્યાયિક તપાસની માંગ ઉઠી છે. રોયલ ભુદેવ ટીમ અને બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા આ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર મારફતે સરકાર સમક્ષ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે, જેથી સત્ય બહાર આવે અને પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળી શકે.આગેવાનોએ આ લડત વધુ મજબૂત કરવા માટે આગામી સમયમાં મામલતદાર કચેરી ખાતે પણ આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે.

