VIDEO: અમદાવાદના અસારવામાં પણ ભાજપ નેતાઓને મળ્યો જાકારો, લોકોના રોષનો ભોગ બન્યા
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં ભાજપ માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. વાસણા અને લાંભા બાદ હવે અસારવા વિસ્તારમાં પણ ભાજપના કાર્યકરોને મતદારોના રોષનો સામનો કરવો પડ્યો છે.ચૂંટણી પ્રચાર માટે ગયેલા કાર્યકરોને ૪ થી ૫ સોસાયટીઓમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી, જેને પગલે કાર્યકરો અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. આ પરિસ્થિતિ વચ્ચે શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલા ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા હોય તેમ જણાય છે. અસારવામાં હાલ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે.

