VIDEO: કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ: અમદાવાદમાં ભાજપ દ્વારા 'વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ' અભિયાન અંતર્ગત મીડિયા સંવાદ
સોર્સ : GSTV
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ‘12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઋષિકેશ પટેલે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે અને વિકાસની નવી દિશા મળી છે. તેમણે PM કિસાન સન્માન નિધિ, જનધન યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સરકારની સિદ્ધિઓ દર્શાવતી વિશેષ પ્રદર્શની પણ રજૂ કરવામાં આવી હતી.

