VIDEO: ફરાળી લોટમાં ભેળસેળ કરનારા વેપારીઓ સામે આરોગ્ય વિભાગની લાલ આંખ
સોર્સ : gstv
શ્રાવણ માસ દરમિયાન ફરાળી ખાદ્યપદાર્થોમાં અન્ય લોટની ભેળસેળ કરવાના મામલે આરોગ્ય વિભાગે વેપારીઓને કડક ચેતવણી આપી છે. વધુ નફાની લાલચમાં ભેળસેળ કરવી એ અયોગ્ય છે અને ભગવાન તો માફ નહીં કરે પરંતુ આરોગ્ય વિભાગ પણ કોઈને નહીં છોડે. તમામ જિલ્લાઓમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને એક્ટિવ કરી દેવાયો છે અને આવી ગેરરીતિ કરનાર તમામ સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

