VIDEO : Ahmedabad ના ઘાટલોડિયામાં જમીન NA મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો હુકમ
સોર્સ : gstv
અમદાવાદના ઘાટલોડિયામાં જમીન NA મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટે અમદાવાદ જિલ્લા કલેક્ટરને અરજીના તમામ પાસા અને કાયદેસરતા તપાસીને નિર્ણય લેવા નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જમીન માલિકી અંગે સિવિલ કેસ પેન્ડિંગ હોવા છતાં અરજી સીધી નકારી શકાશે નહીં. અરજદારો ફરીથી નવી અરજી કરશે ત્યારબાદ કલેક્ટર કાયદેસરતા ચકાસશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના સિંગલ અને ડિવિઝન બેન્ચના ચુકાદા સામે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અરજદાર પક્ષના વકીલે કહ્યું કે, આ ચુકાદાથી જમીન NA પ્રક્રિયામાં કલેક્ટરની સત્તા અને જવાબદારી વધુ સ્પષ્ટ થશે. આ ચુકાદાથી ભૂ-માફિયાઓની અરજીઓ પર અંકુશ આવશે અને વાસ્તવિક ખેડૂતોને ફાયદો થશે.

