VIDEO: તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા રાજ્યમાં એસટી વિભાગ સક્રિય...વધારાની 3 હજાર બસ ટ્રીપનું આયોજન
સોર્સ : gstv
જન્માષ્ટમીના પવિત્ર તહેવારને લઈને ગુજરાત એસટી નિગમે મુસાફરોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તહેવારો દરમિયાન વધતી ભીડને ધ્યાનમાં રાખીને બેથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં અંદાજે ૩ હજાર જેટલી વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન કરાયું છે. અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, પાલનપુર અને મહેસાણા સહિતના મુખ્ય શહેરોથી દ્વારકા, ડાકોર, માધવપુર અને શામળાજી જેવા ધાર્મિક સ્થળો માટે વિશેષ બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જન્માષ્ટમી પર એસટી વિભાગે ૨,૮૪૦ એક્સ્ટ્રા ટ્રીપો દ્વારા ૯ લાખ ૮૩ હજારથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડી હતી.

