VIDEO: શ્રાવણ અમાસે કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ
સોર્સ : gstv
શ્રાવણ માસના અંતિમ દિવસે (અમાસ) અમદાવાદના શિવાલયો "હર હર મહાદેવ"ના નાદથી ગુંજી ઉઠ્યા છે. પવિત્ર શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પ્રસંગે શહેરના વિવિધ શિવ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. પ્રાચીન કર્ણ મુક્તેશ્વર મહાદેવ ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, જ્યાં વિશેષ પૂજા-અર્ચના, વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

