Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Shortage of ration in Ahmedabad!: MLA Imran Khedawala's letter to Chief Minister

VIDEO: અમદાવાદમાં રાશનની અછત!: ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે ત્યારે રાસનની દુકાનોમાં તેલ અને જરૂરી અનાજનો જથ્થો ન મળવાથી ગરીબ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા મહિનાઓથી બી.પી.એલ. અને એન.એફ.એસ.એ. રાશન કાર્ડ ધારકોને નિયમિત અનાજનો પુરવઠો મળતો નથી. આગામી તહેવારોના સમયને ધ્યાનમાં રાખીને ગરીબ નાગરિકોને સરકારની જાહેરાત મુજબ અનાજ અને તેલનો જથ્થો ત્વરિત અને સમયસર પૂરો પાડવામાં આવે, જેથી જરૂરિયાતમંદ લોકો તહેવારોની ઉજવણી સારી રીતે કરી શકે અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

App Store