VIDEO: અમદાવાદમાં રવિવારે પણ ખુલ્લી રહી શકશે શાળાઓ, વરસાદના કારણે પડેલી રજાઓને લઈ DEOનો 'સ્વૈચ્છિક આદેશ'
સોર્સ : gstv
અમદાવાદમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં પડેલી રજાઓથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં થયેલા વિક્ષેપની ભરપાઈ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ મહત્વનો નિર્ણય લીધો છે...જે અનુસાર, શાળા સંચાલકો ચાલુ મહિનાના આગામી રવિવારે સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકશે. આ વિશેષ વ્યવસ્થા દ્વારા શાળાઓ વિદ્યાર્થીઓનો બાકી રહેલો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરી શકશે, જેથી વિદ્યાર્થીઓના ભણતર પર વરસાદની કોઈ વિપરીત અસર ન પડે. શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓને અભ્યાસની ચિંતામાંથી મોટી રાહત મળી રહેશે.

